AAP છોડતા જ રાઘવ ચઢ્ઢાને (Raghav Chadha) ભાજપે આપ્યું ‘ઈનામ’! રાજ્યસભામાં મળી ખાસ જવાબદારી

By: Nation Gujarat Team
23 May, 2026

Raghav Chadha Appointed Rajya Sabha Petitions Committee Chairman : રાજકારણમાં ક્યારે કયો વળાંક આવી જાય તે કહેવું મુશ્કેલ છે, ખાસ કરીને જ્યારે વાત પક્ષપલટા અને તેના પછી મળતા મોટા પદોની હોય. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીનો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કરનારા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા Raghav Chadha ફરી એકવાર દેશભરમાં હેડલાઇન્સમાં છે. ભાજપમાં જોડાતાની સાથે જ રાઘવ ચઢ્ઢાનું રાજકીય કદ અચાનક વધી ગયું હોય તેમ તેમને સંસદમાં એક મોટી અને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

રાઘવ ચઢ્ઢાને (Raghav Chadha) કયું મહત્ત્વનું પદ અપાયું? 

રાજ્યસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર નોટિફિકેશન અનુસાર, રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાની પ્રતિષ્ઠિત ‘યાચિકા સમિતિ’ (Committee on Petitions) ના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને 20 મે 2026થી પ્રભાવી બને તે રીતે આ મહત્વપૂર્ણ પેનલનું પુનર્ગઠન કર્યું છે અને ગૃહના 10 સભ્યોને આ સમિતિ માટે નામાંકિત કર્યા છે. રાઘવ ચઢ્ઢા હવે આ આખી સમિતિનું નેતૃત્વ કરશે.

રાજ્યસભામાં આમ આદમી પાર્ટીને સૌથી મોટો ફટકો

આ આખી રાજકીય ઘટનાક્રમની પૃષ્ઠભૂમિ બહુ રસપ્રદ છે. આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓમાં ગણાતા રાઘવ ચઢ્ઢા સહિત રાજ્યસભાના 6 અન્ય સાંસદોએ અચાનક પાર્ટીને અલવિદા કહી દીધું હતું. આ તમામ 7 સાંસદોએ 27 એપ્રિલ 2026ના રોજ સત્તાવાર રીતે ભાજપનું સભ્યપદ લઈ લીધું હતું. આ મોટા પક્ષપલટાને કારણે રાજ્યસભામાં 10 સાંસદોનું સંખ્યાબળ ધરાવતી આમ આદમી પાર્ટી પાસે હવે માત્ર 3 જ સાંસદો બચ્યા છે, જે કેજરીવાલ માટે બહુ મોટો ફટકો છે.

ભાજપમાં જોડાનારા આ 7 બળવાખોર સાંસદોના નામ: 

રાઘવ ચઢ્ઢા Raghav Chadha

સંદીપ પાઠક

અશોક મિત્તલ

હરભજન સિંહ

સ્વાતિ માલીવાલ

રાજિંદર ગુપ્તા

વિક્રમજીત સિંહ સાહની

આ પક્ષપલટા બાદ આમ આદમી પાર્ટી ભારે રોષમાં છે. ‘આપ’ દ્વારા રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણન સમક્ષ સત્તાવાર માંગ કરવામાં આવી છે કે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ આ તમામ 7 સાંસદોનું સભ્યપદ તાત્કાલિક રદ કરવામાં આવે.

સતત થતી ટ્રોલિંગથી પરેશાન રાઘવ ચઢ્ઢા હાઈકોર્ટ પહોંચ્યા

એક તરફ રાઘવ ચઢ્ઢાને Raghav Chadha ભાજપ તરફથી મોટું ઈનામ મળ્યું છે, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર તેમની ભારે ટ્રોલિંગ થઈ રહી છે. આ બદનામીથી બચવા માટે રાઘવ ચઢ્ઢાએ દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તેમણે કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી છે કે ડિજિટલ પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયા પર તેમના વિશે ફેલાવવામાં આવી રહેલી નકલી, AI-જનરેટેડ અને ડીપફેક કન્ટેન્ટને તાત્કાલિક હટાવવામાં આવે અથવા બ્લોક કરવામાં આવે. રાઘવ ચઢ્ઢાની દલીલ છે કે આ ફેક વીડિયો અને કન્ટેન્ટ તેમની પ્રતિષ્ઠા અને પર્સનાલિટી રાઈટ્સને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે.

જોકે, દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સુબ્રહ્મણ્યમ પ્રસાદની બેન્ચે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સુનાવણી દરમિયાન મૌખિક ટિપ્પણી કરી કે, આ રાઘવ ચઢ્ઢાના અંગત અધિકારોના ઉલ્લંઘનનો મામલો લાગતો નથી. તેમની ટીકા તેમના રાજકીય નિર્ણયો અને ભાજપમાં જોડાવાને લઈને થઈ રહી છે. પર્સનાલિટી રાઈટ્સનો વ્યાપારી ઉપયોગ કરવો અને કોઈની રાજકીય આલોચના કરવી, આ બંને બાબતોમાં મોટો તફાવત છે. હાલમાં હાઈકોર્ટે આ હાઈ-પ્રોફાઈલ કેસ પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.


Related Posts

Load more